કન્યા વિધાયલ સંસ્થામાં જવાહરલાલ નહેરુ તેમજ બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અમિત ચાવડાની ઉપસ્થિતિ

બ્રિજેશ ગૌસ્વામી
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા ગઈકાલે જિલ્લાની મુલાકાતે હતા ધરણા અને આંદોલન કાર્યક્રમમાં ખાસ હાજરી આપ્યા બાદ અમિત ચાવડા સિહોરના વળાવડની કન્યા વિધાયલ તેમજ ગુજરાતના પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે શિષ ઝુકાવીને દર્શન કર્યા હતા લોકસેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય વળાવડની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડા તેમજ ગુજરાત ના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલજીની ઉપસ્થિતિમાં ગઈકાલે ભારત રાષ્ટ્ર ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ની જન્મ જ્યંતી ની તેમજ બાલદીવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં સંસ્થા ના પ્રમુખ મેહુરભાઈ લવતુકા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ ઋત્વિકભાઈ મકવાણા રાજેશભાઈ ગોહિલ રાજભાઈ મહેતા દિલીપભાઈ પરમાર સુરાભાઈ કરમટીયા અમીનભાઈ ચૌહાણ સહિત સૌ આગેવાનો હાજર રહ્યા હતા.