ભાવનગર એરપોર્ટ તથા તમામ સરકારી ભવન ના નામ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવા તથા ભારત રત્ન આપવા મુખ્યમંત્રી ને રજુઆત
દર્શન જોશી
દેશ ની આજાદી વખતે દેશ ની એકતા અને અખંડિતતા માટે દેશ નું સૌ પ્રથમ રાજ્ય દેશ ના ચરણે એક પણ પલ નો વિચાર કર્યા વિના દેશના ચરણે ધરી દીધું હતું તેવા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું નામ ભાવનગર એરપોર્ટ તથા તમામ સરકારી ભવન સાથે જોડવામાં આવે તેવી રજુઆત ૧૨/૦૨/૨૦૧૭ ના રોજ સામાજિક કાર્યકર્તા ક્રીપાલસિંહ વાળા તરેડી દ્વારા કરવામાં આવી હતી પણ રજુઆત ને 2 વર્ષ થવા આવ્યા હજી સુધી કોઈ કામગીરી થઈ હોય એવું લાગતું નથી તેના માટે આજે ફરી વાર ધ્યાન દોરવા મુખ્યમંત્રી ને રજુઆત કરાઇ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ને દેશની એકતા અને અખંડિતતા માટે પહેલ કરવા ના બલિદાન માટે ભારતરત્ન ની માંગણી સૌ ભાવનગર વાસીઓ વતી મુખ્યમંત્રી ની સમક્ષ ક્રિપાલસિંહ વિક્રમસિંહ વાળાએ માંગણી કરી છે