સિહોરમાં આવેલ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિની ઉજવણી, અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા
દેવરાજ બુધેલીયા
સિહોરમાં આવેલ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિની ઉજવણી આજે શુક્રવારે કરવામાં હતી અને જેમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા શ્રી કોયા ભગત મોંઘીબા જગ્યામાં પરમ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિ આજે ૧૭ ને શુક્રવારે ઉજવણી થઈ હતી સિહોર ખાતે આવેલ મોંઘીબા મહારાજની જગ્યા ભાવિકોમાં અતિ પ્રસિદ્ધ છે મોંઘીબા જગ્યા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે જગ્યાના સંત જીણારામ મહારાજ લોકોના દિલમાં અનેરું સ્થાન ધરાવે છે અને પ્રતિદીન હજારોની સંખ્યામાં લોકો દર્શન લાભ લે છે ત્યારે શ્રી કોયા ભગત મોંઘીબા જગ્યામાં પરમ પૂજ્ય મોંઘીબા મહારાજની ૫૫ મી પુણ્યતિથિ આજે તા ૧૭/૧/૨૦૨૦ પોષ વદ ૭ – ને શુક્રવારે રોજ ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં સેવકોએ દર્શન લાભ લીધો હતો