ઇશ્વરીયા ગામના નિલેશ મકવાણાને પોતાના સબંધીએ મારી નાખવાની ધમકી આપી, નિલેશ મકવાણા દવા પીએ લેતા સારવાર હેઠળ
દેવરાજ બુધેલીયા
સિહોર તાલુકાના ઇશ્વરીયા ગામના નિલેશભાઈ વજુભાઇ મકવાણા દ્વારા મીડિયા સમક્ષ જુબાની આપી હતી કે ઈશ્વરયા ગામ ના રહેવાસી એમના માસીના દીકરા અને તેમના પરિવાર દ્વારા મને મારી નાખવાની ધમકી આપી હોવાનું કહેવામાં આવ્યું હતું જેને લઇને નિલેશભાઈ દ્વારા આજરોજ જેરી દવા પી ગયા હતા જે ને સારવાર માટે સિહોર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેઓની તકલીફ વધારે જણાતા ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જોકે ધમકી આપવાની બાબત શું છે અને પરિવારનો ઝગડો કઈ બાબતનો તે એક મોટો સવાલ છે અમે તે પોલીસ તપાસનો વિષય છે