સિહોરના દાદાનીવાવ પાસે એસટીની મિનિબસ અને ઇકો વચ્ચે અકસ્માત, મુસાફરોનો આબાદ બચાવ
બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના ભાવનગર રોડ પર આવેલ દાદાનીવાવ પાસે આજે બપોરના સમયે એસટી વિભાગની મિનિબસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આજે બપોરના સમયે ભાવનગર રાજકોટ રોડ દાદાનીવાવ પાસે આવેલ પીજીવીસીલ ઓફિસ નજીક ઇક્કો કાર ચાલકની બેફિકરાઈના કારણે મીનીબસ સાથે કાર અથડાઈ હતી જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી બનાવને લઈ ટ્રાફિક થયો હતો અને નિહાળવા માટે લોકોના ટોળા એકઠા હતા સિહોર પોલીસના કોન્સ્ટેબલ અશોકસિંહ અને ગઢવીભાઈ બનાવ સ્થળે દોડી ગયા હતા.