ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના એલાન મુજબ પડતર પ્રશ્નોને વાચા આપવા આજથી રાજ્યના ૮૫૦૦ જેટલા પંચાયતી તલાટીઓની હડતાલનો પ્રારંભ થયો છે. જેનાથી પંચાયતોની રોજિંદી કામગીરી પર વિપરીત અસર પડી છે. રાજ્ય કક્ષાએથી મહામંડળના પ્રમુખ પંકજ એલ. મોદીએ હડતાલનું એલાન કર્યું છે. પ્રશ્નોનું નિરાકરણ ન થાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો છે.
વર્ષ ૨૦૦૪-૦૫ના વર્ષની ભરતીના તલાટીઓની નોકરી સળંગ ગણવી, સર્કલ ઇન્સ્પેકટરની જગ્યા વિસ્તરણ અધિકારી તરીકે અપગ્રેડ થતા દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી, મહેસુલી તલાટીઓની કેડર પંચાયત તલાટી કેડરમાં વિલિન કરવી, પંચાયતના તલાટીઓને અન્ય વિભાગની વધારાની કામગીરી ન સોંપવી વગેરે બાબતની માંગણીઓનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળના આદેશ મુજબ આજથી તલાટી -કમ-મંત્રીઓની પડતર માંગણીઓ અંગે રાજ્યના તમામ તલાટી-કમ-મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર છે. સિહોર તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ આ હડતાળમાં છે અને આવેદન આપી રજુઆત કરી હતી